કોરોનાના 44,658 નવા કેસ, 496નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ફરી એક વાર 40,000ની ઉપર નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,658 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 496 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,26,03,188 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,36,861 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,18,21,428 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32,988 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,44,899એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.60 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,24,931 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 51.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 61.22 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 61,22,08,542 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 79,48,439 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.