કોરોનાના 41,649 વધુ નવા કેસ, 593નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસોની સંખ્યા 40,000ને પાર છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 41,649 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 593 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,16,13,993 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,23,810 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,07,81,263 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37,291 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,08,920એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.37 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

દેશમાં કોરોના કુલ કેસોમાં કેરળની હાલત સૌથી વધુ ચિંતાજનક છે. દેશમાં કુલ કોવિડ કેસના આશરે 50 ટકા કેસો કેરળમાંથી આવી રહ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં 20,772 નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,76,315 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 46.46 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 46.15 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 46,15,18,479 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 52,99,036 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.