કોરોનાના 38,667 વધુ નવા કેસ, 478નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો સતત 30,000ની ઉપર નોંધવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 38,667 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈકાલની તુલનાએ 3.6 ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 478 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,21,56,493 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,30,732 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,13,38,088 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35,743 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,87,673એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.45 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

દેશમાં મહારાષ્ટ્ર હજી પણ સંક્રમણને મામલે ટોપ પર છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 63,82,076 કરોડ છે. એ પછી કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ છે, જ્યાં સંક્રમણના કેસો વધુ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 22,29,798 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 48.74 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 53.61 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 53,61,89,903 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 63,80,937 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.