કોરોનાના 37,379 નવા કેસઃદિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુ

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 37,379  નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 10.7  ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 124  લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,49,60,261 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,82,017 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 1892એ પહોંચી છે, જેમાં 766 દર્દીઓ ઠીક થઈ ચૂક્યા છે. ઓમિક્રોનના કેસો 23 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 568 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 382 કેસો છે. ગુજરાતમાં 152 કેસો છે. દિલ્હીમાં દૈનિક ધોરણે 25,00૦ કેસો આવવાની શક્યતા છે, જેથી સરકારે દિલ્હીમાં વીક-એન્ડ કરફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે.દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,43,06,414 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,007 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,71,830એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.38 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,54,302 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 68.01 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 146.70 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,46,70,18,464 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 99,27,797 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.