કોરોનાના 36,401 વધુ નવા કેસ, 530નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો આજે ફરી 40,000ની નીચે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,401 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 530 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,23,22,258 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,33,049 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,15,25,080 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,157 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ  આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,64,129એ પહોંચી છે, જે છેલ્લા 149 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 97.53 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 18,73,757 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 50.03 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટના વધતા જોખમને જોતાં અમેરિકામાં રસીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અમેરિકામાં હવે લોકોને કોરોના રસીના બુસ્ટર શોટ્સ આપવામાં આવશે. રસીનો બુસ્ટર શોટ વ્યક્તિને રસીકરણના આઠ મહિના પછી શરૂ કરવામાં આવશે, એમ અધિકારીઓએ કહ્યું હતું.

દેશમાં 56.64 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 56,64,88,433 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 56,36,336 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.