કોરોનાના 35,499 વધુ નવા કેસ, 447 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની બીજી લહેરમાં કોરોનાના નવા કેસોમાં ઉતારચઢાવનું વલણ જારી છે. દેશમાં કોરોનાના 35,000થી વધુ નવા કેસો નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં નવ ટકાનો ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,499 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 447 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,19,69,954 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,28,309 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,11,39,457 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 39,686 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,02,188એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.40 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,71,871 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 47.83 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસો

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના કુલ 45 કેસો નોંધાયા છે, જ્યારે દિલ્હીમાં કોરોના વાઇરસના કેસો ભલે 100થી પણ ઓછા થયા હોય, પણ દિલ્હી સરકારે છેલ્લા ત્રણ માસમાં જે વાઇરસના નમૂના મોકલ્યા છે, તેમાંથી 80 ટકા કેસોમાં ડેલ્ટા વાઇરસ મળી આવ્યા છે.

દેશમાં 50.86 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 50,86,64,759 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16,11,590 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

,