કોરોનાના 35,178 વધુ નવા કેસ, 440નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસોમાં આશરે 40 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 35,178 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 440 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,22,85,857 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,32,519 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,14,85,923 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37,169 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ  આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,67,415એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.52 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,97,559 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 49.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 56.067 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 567,06,52,030 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 55,05,075 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.