કોરોનાના 34,703 વધુ નવા કેસ, 553નાં મોત

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા નવા કેસો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 34,703 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 553 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,06,19,932 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,03,281 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,97,52,294  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 51,864 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,64,357એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.17 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.32 ટકા થયો છે.

દેશનાં 16 રાજ્યોના 77 જિલ્લા હવે ચિંતાનું કારણ બનેલા છે. અહીં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. એમાં નોર્થ ઇસ્ટના સાત રાજ્યોના 48 જિલ્લા સામેલ છે. એટલે સૌથી વધુ પોઝિટિવિટી રેટવાલા જિલ્લામાં 62 ટકા જિલ્લા નોર્થ ઇસ્ટમાંથી છે.

દેશમાં 35.75 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 35,75,53,612 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 45,82,246 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.