કોરોનાના 32,937 વધુ નવા કેસ, 417નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસો 30,000ની આસપાસ આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,937 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ નવ ટકા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં 417 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,22,25,513 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,31,642 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,14,11,924 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 35,909 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,81,947એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,81,212 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 49 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 54.58 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 54,58,57,108 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 17,43,114 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.