કોરોનાના 43,654 વધુ નવા કેસ, 640નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 47 ટકાનો વધારો થયો છે. સરકારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને બધાને સતર્ક રહેવાની સલાહ આપી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,654 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 640 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,14,84,605 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,22,022 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,06,63,147  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,678 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,99,436એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.39 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,36,857 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 45.91 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 44.61 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 44,61,56,659 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 40,02,358 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.