કોરોનાના 2,57,299 વધુ નવા કેસ, 4194નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. જોકે સંક્રમણને કારણે દૈનિક મોતનો આંકડા હજી પણ ચાર હજારથી વધુ છે, જે ચિંતા વધારી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 2,57,299 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4194 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,62,89,290 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,95,525 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,30,70,365  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3,57,630 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 29,23,400એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.76 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.12 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ ટેસ્ટિંગ થયું છે. ગઈ કાલે 20,66,285 લોકોનું ટેસ્ટિંગ થયું છે. દેશમાં પોઝિટિવિટી રેટ 12.58 ટકા છે.

દેશમાં 19.33 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 19,33,72,819 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14,58,895 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.