કોરોનાના 2,55,874 નવા કેસઃ 614નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા કેસોમાં 16.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,55,874 નવા કેસ નોંધાયા છે. જોકે ગઈ કાલે કોરોના 3.06 લાખ કેસો નોંધાયા હતા. દેશમાં છેલ્લા 24 કલાકમાં 614 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,97,99,202 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થયો છે. દેશમાં અત્યાર સુધી 4,90,462 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવ રેટ ઘટીને 15.52 ટકા થયો છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,70,71,898 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,67,753 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 22,842એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.15 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.23 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,49,108 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 71.87 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 162.92 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,62,92,09,308 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 62,29,956 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.