કોરોનાના 18,855 નવા કેસ, 163નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.07 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,855 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 163 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,07,20,048 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,010 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,03,94,352 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 20,746 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,71,686 પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.