કોરોનાના 15,823 નવા કેસ, 226નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,823 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 226 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,40,01,743 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,51,189 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,33,42,901 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 22,844 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2,07,653એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.06 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 13,25,399 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 58.63 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 96.43 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 96,43,79,212 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 50,63,845 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.