કોરોનાના 1569 નવા કેસ, 19નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1569 નવા કેસ નોંધાયા છે, જે ગઈ કાલની તુલનાએ 28.7 ટકા ઓછા છે.  છેલ્લા કલાકમાં 19 લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્યાર સુધીમાં 191.48થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,31,25,370 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,260 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,25,84,710 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2467 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,400એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.75 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.22 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,57,484 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 84.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 0.59 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.69 ટકા છે.

દેશમાં 191.48 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,91,48,94,858 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,78,005 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.