કોરોનાના 15,388ના નવા કેસ, 77નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરાના વાઇરસના સતત  નવા કેસ વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,388 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 77 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,12,44,786 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,57,930 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,08,99,394  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16,596 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,87,462 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.41 ટકા થયો છે.

 દેશમાં 2.30 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 2,30,08,733 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.  ગઈ કાલે 20,19,723 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.