કોરોનાના 1,34,154 વધુ નવા કેસ, 2887નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,34,154 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2887 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,84,41,986 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,37,989 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,63,90,584 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,11,499 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 17,13,413એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.79 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે.

દેશમાં ગઈ કાલે 21,59,873 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી.  છેલ્લા 13 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે છે. પોઝિટિવિટી રેટ 6.21 ટકા છે.

દેશમાં 22.10 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 22,10,43,693 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 24,26,265 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.