કોરોનાના 1,32,788 વધુ નવા કેસ, 3207નાં મોત 

 નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાની બીજી લહેર નબળી પડતી દેખાઈ રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 1,32,788 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3207 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,83,07,832 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,35,102 લોકોનાં મોત થયાં છે.. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,61,79,085  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,31,456 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 17,93,645એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.48 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે.

દેશમાં ગઈ કાલે 20,19,773 સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી.  છેલ્લા 12 દિવસોથી પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે છે. પોઝિટિવિટી રેટ 6.57 ટકા છે.

દેશમાં 21.85 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 21,85,46,667 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 23,97,191 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.