કોરોનાના 12,408 નવા કેસ, 120નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 12,408 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 120 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,02,591 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,54,823 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,04,96,308  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 15,853 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,51,460 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.20 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

દેશમાં 50 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. દેશનાં 10 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત 4 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.