કોરોનાના 11,499 નવા કેસ, 255નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,499 નવા કેસ નોંધાયા છે.  જે ગઈ કાલની તુલનાએ સાત ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 255 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,29,05,844 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,13,481 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,22,70,482 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23,598 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,21,881એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.52 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,36,133 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 76.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 1.28 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 1.48 ટકા છે.

 દેશમાં 177.17 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,77,17,68,379 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28,29,379 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.