કોરોનાના 11,649ના નવા કેસ, 90નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના 11,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.09 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,649 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 90 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,09,16,589 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,732 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,06,21,220  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9,489 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,39,637 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 82 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 82,85,295 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 21,4377 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.