જમ્મુમાં બસ ખીણમાં પડતાં 10નાં મોત

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં બચ ખીણમાં પડતાં મોટી દુર્ઘટના બની હતી, જેમાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે અને ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. એ દુર્ઘટના એ સમયે થઈ, જ્યારે યાત્રીઓ ભરેલી એક બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી.  આ બસમાં 75થી 80 શ્રદ્ધાળુઓ હતા.

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે એક બસ પૂલ પરથી લપસીને ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોનાં મોત થયાં છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. ઝજ્ઝર કોટલી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. બસમાં સવાર શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવી મંદિરે જતા હતા. કટરા ત્રિકુટા પહાડ પર સ્થિત ધાર્મિક સ્થળ માટે આધાર શિબિર છે.

જમ્મુના વરિષ્ઠ પોલીસ કમિશનર ચંદન કોહલીએ કહ્યું હતું કે આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં 21 મેએ વૈષ્ણોદેવી જતી એક બસ પલટવાથી 27 વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને 24 લોકો ઘાયલ થયા હતા.