નાગા ચૈતન્ય તેના દાદા ANRની 100મી વર્ષગાંઠની અનોખી રીતે કરશે ઉજવણી

મુંબઈ: અભિનેતા અક્કીનેની નાગેશ્વર રાવ (ANR) ની 100મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે અન્નપૂર્ણા સ્ટુડિયોએ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 31 શહેરોમાં દસ પ્રતિષ્ઠિત ફિલ્મો દર્શાવતા એક અવિસ્મરણીય શ્રદ્ધાંજલિ અર્પણ તૈયાર કરી છે. આ સ્ક્રિનિંગ્સમાં, ANRના સૌથી પ્રિય ક્લાસિકમાંથી એક પ્રેમ નગર (1971), 20મી સપ્ટેમ્બરના રોજ શાંતિ થિયેટરમાં પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં નાગા ચૈતન્ય વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે.

અક્કીનેની નાગેશ્વર રાવ, જેને પ્રેમપૂર્વક ANR તરીકે યાદ કરવામાં આવે છે, તે તેલુગુ સિનેમાની દુનિયામાં એક ટાઇટન છે, જે ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે પ્રખ્યાત છે. હૈદરાબાદમાં અન્નપૂર્ણા સ્ટુડિયોની સ્થાપનામાં તેમની અગ્રણી ભૂમિકાથી લઈને તેમના કાલાતીત પર્ફોર્મન્સ સુધી,જેણે કાયમી વારસો છોડ્યો છે, ANR એ તેલુગુ ફિલ્મ ઉદ્યોગના પાયાને આકાર આપ્યો છે. ચેન્નાઈ (તે સમયનું મદ્રાસ) થી હૈદરાબાદમાં તેમનું સ્થળાંતર ટોલીવૂડ માટે એક નવા યુગને ચિહ્નિત કરે છે.

નાગા ચૈતન્યએ કહ્યુ કે, “હું આ ક્લાસિકને મોટા પડદા પર જોવા માટે ખરેખર ઉત્સાહિત છું. મોટા થયા પછી મને થિયેટરોમાં પ્રેક્ષકો સાથે મારા દાદાની ફિલ્મોનો અનુભવ કરવાનો મોકો ક્યારેય મળ્યો નથી, તેથી આ ખરેખર એક યાદગાર ક્ષણ છે. વાસ્તવમાં, આજની તારીખે પણ ઘણા ફિલ્મ નિર્માતાઓ ચર્ચા કરે છે કે આ ક્લાસિક્સમાં કેવી કથાઓ હતી. મોટા પડદા પર આ ફિલ્મોનો અનુભવ કરવો એ મારા માટે માત્ર મનોરંજન જ નથી, પણ એક પ્રકારનું શીખવાનું પણ છે. મારા દાદાની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આનાથી વધુ સારું શું હોય શકે.”

આ ભાવનાત્મક સફર માત્ર સિનેમેટિક માસ્ટરપીસની પુનઃપ્રાપ્તિ વિશે જ નથી પરંતુ એક એવા વ્યક્તિના વારસાને સન્માનિત કરવા વિશે પણ છે, જેમની દ્રષ્ટિએ ભારતીય સિનેમાના માર્ગને બદલી નાખ્યો. અન્નપૂર્ણા સ્ટુડિયો એ વિઝનના દીવાદાંડી તરીકે ઊભો રહ્યો છે, નવી પ્રતિભાને પોષી રહ્યો છે અને પેઢીઓથી પ્રેક્ષકો સાથે પડઘો પાડતી ફિલ્મો બનાવી રહી છે.