“ઝરુખો”ના ઉપક્રમે ભાષાશાસ્ત્રી, લેખક, વિવેચક બાબુ સુથારનું વક્તવ્ય

મુંબઈઃ ગુજરાતી તથા ભાષાશાસ્ત્ર વિષય સાથે બે વાર એમ. એ. થયેલા તથા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાથી ભાષાશાસ્ત્રમાં પીએચ. ડી. થયેલા અમેરિકાસ્થિત કવિ, લેખક, વિવેચક તથા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર સાંઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના “ઝરુખો” કાર્યક્રમમાં “ટૂંકી વાર્તા દેશ-વિદેશની” એ વિષય પર વક્તવ્ય આપશે.

    આ નિમિત્તે તેઓ કાફકા તથા અન્ય જાણીતા સર્જકોની તથા કેટલાક અજાણ્યા વાર્તાકારોની વાર્તાઓ વિશે વાત કરશે. વક્તવ્યના અંતે ભાવકો તેમની સાથે પ્રશ્નોત્તરી કરશે.

“ઝરુખો”નો આ કાર્યક્રમ સંજય પંડ્યાના સંચાલનમાં બીજી ડિસેમ્બર શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે બીજે માળે, સાંઈબાબા મંદિર, સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. રસ ધરાવતા સર્વ ભાવકો/ શ્રોતાઓને જાહેર નિમંત્રણ છે.