એવી જાહેરખબરોથી જનતા સાવચેત રહેઃ રીઝર્વ બેન્ક

મુંબઈઃ લીધેલી લોન માફ કરાવી આપવાની ઓફર કરીને કરજદારોને લલચાવતી ભ્રામક જાહેરખબરો સામે ભારતીય રીઝર્વ બેન્કે આજે ચેતવણી બહાર પાડી છે. કેટલીક સંસ્થાઓ દ્વારા કોઈ પ્રકારના અધિકાર વગર લોન માફીનું પ્રમાણપત્ર આપવા માટે લોકો પાસેથી સર્વિસ/લીગલ ફી વસૂલ કરાતી હોવાના અહેવાલો છે.

આરબીઆઈએ કહ્યું છે કે, આવી સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર પણ આ પ્રકારના કેમ્પેન ચલાવે છે. જનતાને સાવચેત કરવામાં આવે છે કે આવી ખોટા અને ભ્રામક જાહેરખબરો/ઝુંબેશનો શિકાર ન બને અને આવી ઘટનાઓ વિશે પોલીસતંત્રને જાણ કરે.