અંબાણી પરિવારે ગરીબ દીકરીઓના સમુહ લગ્નનું કર્યુ આયોજન

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણી પરિવારે ગરીબ છોકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કર્યુ હતું. વંચિત પરિવારોના 50 થી વધુ યુગલો મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘર આવ્યા હતા. રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં વર-કન્યા પક્ષના 800 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે અંબાણી પરિવારે આવા અનેક સમૂહ લગ્નો યોજવાનો સંકલ્પ લીધો હતો. નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમના પરિવારના સભ્યો સાથે સમૂહ લગ્નમાં સામેલ થયા હતા. અંબાણી પરિવારે નવદંપતીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.

દરેક યુગલને અંબાણી પરિવાર તરફથી મંગળસૂત્ર, લગ્નની વીંટી અને નાકની ચૂંક સહિત અનેક સોના અને ચાંદીના દાગીના ભેટમાં આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દરેક કન્યાને 1 લાખ 1 હજાર રૂપિયાનો ચેક પણ ‘સ્ત્રીધન’ તરીકે આપવામાં આવ્યો હતો.

દરેક યુગલને એક વર્ષ માટે પૂરતી કરિયાણા અને ઘરવખરીની વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. જેમાં વાસણો, ગેસ સ્ટવ, મિક્સર, ગાદલા વગેરે જેવી 36 પ્રકારની આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે. સમૂહ લગ્નમાં ઉપસ્થિત લોકો માટે ભવ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વારલી જાતિ દ્વારા પરંપરાગત તારપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવાર દરેક મોટા પારિવારિક પ્રસંગની શરૂઆત માનવ સેવાથી કરે છે. અગાઉ પણ, પરિવારમાં લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે આસપાસના સમુદાયો અને એનજીઓના સહયોગથી લોકો માટે ભોજન સેવા અથવા અન્ના સેવા ચલાવી હતી.