પરમાણુ બ્લેકમેલિંગ નહીં ચાલે, PM મોદીનો પાકિસ્તાનને મોટો સંદેશ

ચોમાસા સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં, પીએમ મોદીએ પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે પહેલગામ હુમલા પછી, પાકિસ્તાનને લાગ્યું હતું કે કંઈક મોટું થવાનું છે. તેથી જ પાકિસ્તાન તરફથી પરમાણુ હુમલાની ધમકીઓ આવવા લાગી, પરંતુ અમારા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે પરમાણુ બ્લેકમેલિંગ કામ કરશે નહીં.

ઓપરેશન સિંદૂર પર બોલતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે પાકિસ્તાન સાથે ઘણી વખત લડ્યા છીએ. પરંતુ ક્યારેય એવું બન્યું નથી કે અમે આટલો ઊંડો હુમલો કર્યો હોય. પાકિસ્તાન પર હુમલો કરીને, અમે પરમાણુ હુમલાની ધમકીને ખોટી સાબિત કરી. ભારતે સાબિત કર્યું કે હવે ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલિંગ સામે ઝૂકશે નહીં.

આ પહેલા પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર વિશે કહ્યું હતું કે અમારી મિસાઇલોએ પાકિસ્તાન પર એટલી શક્તિશાળી હુમલો કર્યો કે તેમના એરબેઝ હજુ પણ ICU માં દાખલ છે. તેમણે કહ્યું, “અમારો હુમલો એટલો સચોટ હતો કે અમે પાકિસ્તાનના દરેક ખૂણામાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. પાકિસ્તાની સેનાએ વિચાર્યું પણ નહોતું કે ભટ બહાવલપુર, મુરીદકે પર હુમલો કરશે. અમારા દળોએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું.