ગુજરાતીમાંથી મરાઠીમાં અનુવાદ થયેલા પુસ્તક ‘કથાસેતુ’નો લોકાર્પણ કાર્યક્રમ

મુંબઈં: ગુજરાતી ભાષાની કેટલીક ઉત્તમ વાર્તાઓનો તાજેતરમાં મરાઠી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે . આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વતી પદ્મગંધા પ્રકાશન, પુણે દ્વારા આ પુસ્તક છાપવામાં આવ્યું છે.

પુસ્તક ‘કથાસેતુ’ ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 1 સપ્ટેમ્બર ને રવિવારે કાર્યક્રમ નાણાવટી હોસ્પિટલ હોલ,એસ.વી.રોડ,વિલેપાર્લે વેસ્ટ ખાતે યોજવામાં આવ્યો છે.

શ્રીકાંત બોજેવાર ( કન્સલ્ટિંગ એડિટર મહારાષ્ટ્ર ટાઈમ્સ) , દિલીપ દેશપાંડે ( વસંત સામાયિકના તંત્રી), તથા કવિ -વાર્તાકાર સંદીપ ભાટિયા પુસ્તક વિશે વાત કરશે. કવિ -વાર્તાકાર કાનજી પટેલ ટૂંકી વાર્તા વિશે વકતવ્ય આપશે.સંપાદન વિશે સંજય પંડ્યા પોતાની વાત મૂકશે. જાણીતા નાટ્યકલાકાર અભિજીત ચિત્રે એક વાર્તા ગુજરાતીમાં અને એક વાર્તા મરાઠીમાં વાચિકમ કરશે.

આ કાર્યક્રમનું સંચાલન કવિ મુકેશ જોશી અને મોનિકા ઠક્કર કરશે.આ આખો કાર્યક્રમ દ્વિભાષી હશે.કાર્યક્રમ માટે નાણાવટી મૅકસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપરાંત દશરથલાલ જોશી વાચનાલયનો સહયોગ મળ્યો છે. કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેની પણ સંકલન સહાય છે. આ જાહેર કાર્યક્રમ છે અને ઈચ્છુક દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.