તાજેતરમાં જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે ઘરે છે. આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન પાપારાઝી દરેક ક્ષણે દેઓલ પરિવારને અનુસરતા હતા. એવામાં કરણ જોહરે હવે પાપારાઝી પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કરણ જોહરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પાપારાઝીને ઠપકો આપ્યો. ફિલ્મ નિર્માતાએ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોડાયેલી એક ઘટના વિશે એક લાંબી પોસ્ટ લખી. ધર્મેન્દ્રની તાજેતરમાં જ તબિયત લથડી હતી અને ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યા હતા. તેઓ હવે ઘરે છે. જોકે, પાપારાઝી સતત દેઓલ પરિવારને ઘેરી લેતા જોવા મળ્યા હતા, જે હકીકતે કરણ જોહરને ગુસ્સો અપાવ્યો છે.
કરણ જોહરે પાપારાઝીને ઠપકો આપ્યો. પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરતા તેમણે લખ્યું, “જ્યારે આપણે આપણી કરુણા ગુમાવી દઈએ છીએ, ત્યારે આપણે માણસ તરીકે ખતમ થઈ જઈએ છીએ. કૃપા કરીને પરિવારને એકલા છોડી દો. તેઓ પહેલેથી જ ખૂબ જ ભાવનાત્મક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આપણા સિનેમામાં આટલું બધું યોગદાન આપનાર એક દિગ્ગજ અભિનેતા (ધર્મેન્દ્ર) ને તમાશો બનાવતા જોઈને દુઃખ થાય છે. આ કવરેજ નથી, તે અપમાન છે.”
હેમા માલિનીએ પણ ઠપકો આપ્યો
તાજેતરમાં, હેમા માલિનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે ફેલાતી અફવાઓનો ઠપકો આપતા લખ્યું, “જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે. જવાબદાર ચેનલો એક એવા માણસ વિશે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે જે સારવારનો પ્રતિભાવ આપી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે? આ ખૂબ જ અપમાનજનક અને બેજવાબદાર કૃત્ય છે. કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.”
ધર્મેન્દ્રની તબિયત સુધરી
ધર્મેન્દ્ર ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા. હવે તેમની સારવાર ડોકટરોની દેખરેખ હેઠળ ઘરે જ થઈ રહી છે. જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે ઘણા બોલિવૂડ કલાકારો અને સેલિબ્રિટીઓ તેમની મુલાકાત લીધી. અમિતાભ બચ્ચન બુધવારે ધર્મેન્દ્રની મુલાકાતે ગયા હતા.


