એક્સાઇઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. સીબીઆઈએ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કર્યા હતા.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી આંચકો લાગ્યો છે. કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે.
