જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના ત્રાલમાં આજે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાલમાં હજુ પણ ગોળીબાર ચાલુ છે. છુપાયેલા આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે. દરમિયાન, ત્રાલ એન્કાઉન્ટરનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે.
Drone footage from Tral, moments before these terrorists were neutralised by the Indian Army.
Look closely — that’s the fear in their eyes.
This is what it looks like when you come face to face with the Indian Armed Forces.#IndianArmy
pic.twitter.com/PWolu4jOki— Nikhil saini (@iNikhilsaini) May 15, 2025
આ ડ્રોન વીડિયોમાં આતંકવાદીઓ છુપાયેલા જોઈ શકાય છે. બીજા ફૂટેજમાં, એક આતંકવાદીને ઠાર મારતો જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે હજુ પણ વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આજે વહેલી સવારે જૈશના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. તે બધા ત્રાલના રહેવાસી છે. તેમના નામ આસિફ અહેમદ શેખ, આમિર નઝીર વાની અને યાવર અહેમદ બટ્ટ છે.
આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48 કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે. મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
આ આતંકવાદીઓને ઠાર માર્યા પછી, ભારતીય સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ, 15 મેના રોજ અવંતીપોરાના ત્રાલના નાદેરમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF એ ત્રાલમાં નાદેરને ઘેરી લીધું હતું. સૈનિકોને કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જણાઈ, ત્યારબાદ આતંકવાદીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો. ઓપરેશન હજુ પણ ચાલુ છે.
