IPL 2025: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં જ રહેશે

IPL 2025ને લઈને સતત આશ્ચર્યજનક સમાચાર આવી રહ્યા છે. આગામી સિઝનની શરૂઆત પહેલા આ વર્ષના અંતમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં તમામ ટીમો કેટલાક ખેલાડીઓને રિટેન કરશે અને બાકીના ખેલાડીઓને છોડી દેશે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર, ભારત માટે ટી20 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ નહીં હોય. મુંબઈ રોહિતને જાળવી રાખશે. આ પહેલા સમાચાર હતા કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થઈ જશે. એવા પણ સમાચાર હતા કે રોહિત શર્મા લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બનશે. જોકે, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ તમામ સમાચાર માત્ર અફવા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા IPL 2025માં ટીમ સાથે રહેશે. ફ્રેન્ચાઈઝીએ કહ્યું છે કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડી રહ્યો નથી, તે પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે વાતચીત થઈ છે. રોહિત પણ મુંબઈમાં રહેવા તૈયાર છે.

ટીમો કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે તે હજુ નક્કી નથી

તમને જણાવી દઈએ કે IPLના નિયમો અનુસાર તમામ ટીમો મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. અન્ય તમામ ખેલાડીઓને મુક્ત કરવા પડશે. જો કે સમાચાર છે કે આ નિયમ બદલાઈ શકે છે. વાસ્તવમાં ઘણી ટીમોએ માંગ કરી છે કે રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા વધારવી જોઈએ. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI અને ટીમો વચ્ચે પાંચ ખેલાડીઓને રિટેન કરવા માટે સમજૂતી થઈ છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.