IND vs ZIM: ટીમ ઇન્ડિયામાં અચાનક ફેરફાર કરાયો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 15 સભ્યોની ટીમમાં ત્રણ મોટા ફેરફારો કર્યા છે. લગભગ એક અઠવાડિયા પહેલા જ ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન નીતીશ રેડ્ડી ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને તેનું સ્થાન શિવમ દુબેને આપવામાં આવ્યું હતું. પરંતુ હવે T20 સિરીઝની પ્રથમ 2 મેચમાંથી યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સંજુ સેમસનના નામ હટાવીને તેમની જગ્યા સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણાને આપવામાં આવી છે. જીતેશ શર્મા અને સાઈ સુદર્શન આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે, પરંતુ હર્ષિત રાણા માટે આ ડેબ્યુ કોલ છે. IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા હર્ષિતે કુલ 19 વિકેટ લીધી હતી.

શા માટે ફેરફારો થયા છે?

તમને જણાવી દઈએ કે શિવમ દુબે, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ, આ ત્રણ ખેલાડીઓ ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતા. ટીમ ઈન્ડિયા હાલમાં ચક્રવાતને કારણે બાર્બાડોસમાં અટવાયેલી હોવાથી પહેલા અમે તેના ભારત આવવાની રાહ જોઈશું અને ત્યારબાદ જયસ્વાલ, દુબે અને સેમસનને ઝિમ્બાબ્વે મોકલવા અંગે વિચારણા કરવામાં આવશે. આવી સ્થિતિમાં સાઈ સુદર્શન, જીતેશ શર્મા અને હર્ષિત રાણા પ્રથમ 2 ટી-20 મેચમાં તેના સ્થાને રમતા જોવા મળશે.

શ્રેણી ક્યારે શરૂ થશે?

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચ 6 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. શ્રેણીની તમામ 5 મેચ હરારેમાં રમાશે. એક તરફ ભારતે આ શ્રેણી માટે પોતાના તમામ વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો છે, તો બીજી તરફ ઝિમ્બાબ્વેએ પણ આગામી શ્રેણી માટે યુવા ટીમ તૈયાર કરી છે, જેના કારણે ક્રેગ ઈરવિન અને શોન વોલ્ટમેન જેવા અનુભવી ખેલાડીઓને બહાર રાખવામાં આવ્યા છે.