લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં IIT ગાંધીનગરને મળી સફળતા

ગાંધીનગર: IIT ગાંધીનગરની આગેવાની હેઠળ લોથલ ડોકયાર્ડ થિયરીનો ગ્રાઉન્ડબ્રેકિંગ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં મલ્ટી-સેન્સર ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને અદ્યતન વિશ્લેષણાત્મક પ્લેટફોર્મ્સ જેવી અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હડપ્પાના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંના એક લોથલ પરનું આ એક અગ્રેસર સંશોધન છે. જે લોથળ પ્રદેશની હાઇડ્રોગ્રાફીએ પ્રાચીન વેપાર અને સાંસ્કૃતિક ક્રિયાપ્રતિક્રિયાઓને કેવી રીતે આકાર આપ્યો તે અંગે આંતરદૃષ્ટિ દર્શાવે છે.આ અભ્યાસ લોથલ અને સાબરમતી નદીના પૂર્વ પ્રવાહ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરીને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અભ્યાસમાં એ વાત છતી થાય છે કે સાબરમતી નદીના નીચલા ભાગોમાં હોલોસીન સમયગાળાના અંતમાં નોંધપાત્ર સ્થળાંતર થયું હતું, જેણે વેપાર માર્ગો અને સેટલમેન્ટની પેટર્નને પ્રભાવિત કરી હતી. સંશોધન એ વાત ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે કેવી રીતે પ્રાચીન જળ ગતિશીલતાએ વેપાર અને સાંસ્કૃતિક વિનિમયને અસર કરી. આ અભ્યાસ હડપ્પાના અર્થતંત્રોમાં જળમાર્ગોની ભૂમિકા પર નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. ભૂતકાળના કેટલાંક તારણો અગાઉ ડોકયાર્ડ થિયરી વિશે શંકા વ્યક્ત કરે છે, તેની માન્યતાને સમર્થન આપવા માટે આ અભ્યાસમાં મજબૂત પુરાવાઓ આપવામાં આવ્યા છે.પ્રો. વી.એન. પ્રભાકર, IIT ગાંધીનગર ખાતે અર્થ સાયન્સ અને હ્યુમન અને સોશિયલ સાયન્સના એસોસિયેટ પ્રોફેસર છે. તેઓ જણાવે છે, “પુરાતત્વમાં રિમોટ સેન્સિંગ તકનીકો નોંધપાત્ર રીતે આગળ વધી છે, જે પ્રાચીન લેન્ડસ્કેપ્સને જાહેર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.”ગુજરાતમાં ખંભાતના અખાતથી આશરે 30 કિમી દૂર આવેલું લોથલ કાંસ્ય યુગ હડપ્પન સમયગાળા દરમિયાન એક મહત્વપૂર્ણ બંદર હતું. આ સંશોધન લેન્ડસ્કેપ પરિપ્રેક્ષ્યમાંથી ડોકયાર્ડ સિદ્ધાંતની પુનઃવિચારણા કરે છે, પ્રારંભિક નકશા, સેટેલાઇટ છબીઓ અને ડિજિટલ એલિવેશન મોડલ્સમાંથી ડેટાને એકીકૃત કરે છે. આ અભિગમ માત્ર અસ્તિત્વમાં રહેલા અર્થઘટનને જ મજબૂત બનાવતો નથી પણ ભૂતકાળના લેન્ડસ્કેપ્સને સમજવામાં ભૂસ્તરીય ડેટાના મહત્વને પણ રેખાંકિત કરે છે.અભ્યાસ વિસ્તાર ગુજરાતમાં લોથલ અને તેની આસપાસના વિસ્તારોને આવરી લે છે, જ્યાં 140થી વધુ પેલેઓચૅનલની ઓળખ કરવામાં આવી છે, જે હડપ્પન સંસ્કૃતિ માટેના મુખ્ય નદી માર્ગ પર લોથલની વ્યૂહાત્મક સ્થિતિને પ્રકાશિત કરે છે. સેટેલાઇટ ઇમેજોએ સાબરમતી નદીની જૂની ચેનલોને અનાવરણ કરી છે, જે એક તરફ કોથ અને અન્ય સંસાધન-સંપન્ન વિસ્તારો અને બીજી તરફ નળ સરોવર દ્વારા કચ્છનું નાનું રણ સાથે જોડાયેલા નોંધપાત્ર નદી માર્ગ પર લોથલનું મુખ્ય સ્થાન સૂચવે છે.

સંશોધન ડોકયાર્ડ સિદ્ધાંતને સમર્થન આપે છે અને નદી અને દરિયાઈ માર્ગો દ્વારા વેપાર માટે લોથલના મહત્વને દર્શાવતા ઐતિહાસિક પ્રવેશદ્વારો વિશેની માહિતી આપે છે. અન્ય એક તાજેતરના અભ્યાસમાં લોથલને કચ્છની અન્ય હડપ્પન સાઇટ્સ સાથે જોડતું એક સક્રિય આંતરદેશીય જળ નેટવર્ક પણ બહાર આવ્યું છે, ત્યાં એગેટ-કાર્નેલિયન જેવા કાચા માલના વિતરણમાં ભાગ લે છે. સાબરમતીના સ્થળાંતરની સમયરેખા અને પ્રદેશની ટેકટોનિક ગતિશીલતાની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે.પ્રો.એકતા ગુપ્તાએ કહ્યું કે, “પેલેઓલેન્ડસ્કેપના પુનઃનિર્માણમાં હાલના પુરાતત્વીય અને ભૌગોલિક સિદ્ધાંતો એક નવો પરિપ્રેક્ષ્ય પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. જે અમારી શોધને વધુ મજબૂત કરે છે અને પ્રાચીન સમાજો તેમના પર્યાવરણને કેવી રીતે અનુકૂલિત થયા તેની ઊંડી સમજણ આપે છે.” આ અભ્યાસ ત્રણ પ્રોફેસર પ્રો. એક્તા ગુપ્તા, પ્રો. વી. એન. પ્રભાકર અને પ્રો. વિક્રાંત જૈને મળીને કર્યો છે.