અમદાવાદમાં વકર્યો પાણીજન્ય રોગચાળો

રાજ્યમાં ચોમાસુ જામી ચૂક્યુ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તો બીજી બાજું ચોમાસાની સાથે અમદાવાદમાં પાણી જન્ય રોગચાળામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં OPD 3000થી વધુને પાર પહોંચી ગઈ છે,અસારવા સિવિલ હોસ્પિટલમાં કમળાના એક મહિનામાં 180 કેસ નોંધાયા છે.જયારે એક સપ્તાહમાં 47 કેસ જેમાં 30 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.400થી વધુ ઝાડા ઉલટીના એક સપ્તાહમાં 97 કેસ નોંધાયા છે.

મળતી માહિતી અનુસાર વાઇરલ ફીવરનાં ગત મહિને 650 કેસ નોંધાયા હતા તો છેલ્લા એક સપ્તાહમાં 58 કેસ નોંધાયા છે.ટાઇફોઇડના છેલ્લા એક મહિનામાં 22 કેસ તો એક સપ્તાહમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદના ડોક્ટરોએ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે. પાણીજન્ય રોગચાળો હજી પણ વધી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા છે. પીવાનું પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી પ્રદૂષિત પાણીને લઈ રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે.