ગણેશ વિસર્જનમાં બની દુર્ઘટના, 10 ડૂબ્યા, 8ના મોત: સૂત્રો

ગુજરાતમાં હાલ ગણેશ મહોત્સવની ધૂમ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ગણેશ મહોત્સવમાં અસામાજિક તત્વોએ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજું આજે ગાંધીનગરમાં ફરી એક મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ વિસર્જનની ઘટનામાં વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબી ગયાના અહેવાલ મળી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર 8 મૃતદેહો પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. અત્યારે સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર મેશ્વો નદીમાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી છે. ગણેશ વિસર્જન વખતે જ 10 જેટલાં લોકો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમાંથી 8 યુવાનોનાં તો ઓન ધ સ્પોટ મોતના અહેવાલ મળી રહ્યા છે. વાસણા સોગઠી ગામે આ ઘટના બની હતી. જેના લીધે તહેવારની ઉજવણી અચાનક જ માતમમાં ફેરવાઈ ગઇ હતી.