અંબાજી: ચૈત્રી નવરાત્રીના આરંભને ગણતરીના દિવસો બાકી છે. ઠેર-ઠેર નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીના આરતી દર્શનના સમયમાં ફેરફારની યાદી જાહેર કરવામાં આવી છે. માતાના મંદિરમાં યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરમાં ચૈત્ર સુદ એકમના રવિવાર 30 માર્ચના રોજ ઘટસ્થાન સવારે 9:15 કલાકે કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન આરતીનો 7 વગ્યા થી 7:30 નો રહેશે. જ્યારે દર્શન કરવા માટેનો સમય 7:30 થી 11:30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજભોગના દર્શન બપોરના 12 વાગ્યાથી થશે, જે 4:30 વાગ્યા સુધી ખુલ્લા રહશે. જ્યારે સંધ્યા આરતીનો સમય 7વાગ્યાનો છે. અનો માતાના દર્શન રાત્રીના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર સુદ આઠમ 5 એપ્રિલ અને ચૈત્રી પુનમ 12 એપ્રિલના રોજ આરતીનો સમય સવારે 6 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જ્યારે તારખી 6 એપ્રિલથી અંબાજી મંદિરના દર્શનનો સમય રાબેતા મુબજ થઈ જશે.
