લુપિને 18 કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પ્લાન્ટની કામગીરી બંધ કરી

અમદાવાદઃ રાજ્યના ભરૂચ જિલ્લામાં ડ્રગઉત્પાદક લુપિન લિમેટેડના પ્લાન્ટમાં 18 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં કંપનીએ હાલમાં આ પ્લાન્ટની કામગીરી બંધ કરી દીધી છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. કંપનીનો આ પ્લાન્ટ અંકલેશ્વરમાં આવેલો છે. જોકે આ પ્લાન્ટમાંના અન્ય કામદારોના કોરોના ટેસ્ટનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. 12 જુલાઈએ આ પ્લાન્ટની કામગીરીને બંધ કરવામાં આવી હતી, એમ ભરૂચના કલેક્ટર એમ. ડી. મોડિયાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે અને કંપની આ બધાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી. કર્મચારીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને અમે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છીએ, એમ તેમણે કહ્યું હતું.

આ પ્લાન્ટમાં ક્ષય રોગની દવા બનાવવામાં આવે છે

કંપનીના આ પ્લાન્ટમાં ક્ષય રોગની દવા બનાવવામાં આવે છે. કંપનીના આ પ્લાન્ટમાં 200 કર્મચારીઓએ કાર્યરત છે અને આ બધા કર્મચારીઓનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું

કંપનીના સાતમા નંબરના પ્લાન્ટમાં કોરોના પહોંચ્યો

અંકલેશ્વર સ્થિત સાત નંબરના પ્લાન્ટમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ મળી આવ્યા પછી આ પ્લાન્ટને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવા માટે પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો, એમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું.

કંપનીના નવ પ્લાન્ટ અંકલેશ્વરમાં    

લુપિન એક અગ્રણી ફાર્માસ્યુટિકલ મલ્ટિનેશનલ કંપની છે, કંપની અંકલેશ્વરમાં નવ પ્લાન્ટ્સ ધરાવે છે અને કંપની અહીં ઇન્ટમિડિયેટ્સ અને સક્રિય ફાર્માસ્યુટિકલ્સ ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપની અહીં ઉત્પાદિત કરેલી પ્રોડક્ટોને ઇટાલી, ચીન, કેનેડા અને સ્થાનિક બજારમાં સપ્લાય કરે છે.