વિરમગામમાં કોર્પોરેશને ગેરકાયદે મકાનો અને ધાર્મિક દબાણો દૂર કર્યાં

અમદાવાદઃ સોમનાથમાં ડિમોલિશન બાદ હવે અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકાનું મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરનાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. આ કામગીરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અહીં 200 રહેણાક મકાનો અને 10 મંદિરો અને દરગાહ સહિતનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના વિરમગામમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિરમગામ નગરપાલિકા દ્વારા મુનસર દરવાજા, રામમહેલ મંદિર રોડ પરના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરપાલિકાએ પાંચ જેસીબી મશીન અને 10  ટ્રેકટરની મદદથી આ કાર્યવાહી કરી હતી.