JEE એડવાન્સ પરીક્ષાર્થીઓને રાતવાસો કરવા મદદ કરાશે

ગાંધીનગરઃ વર્તમાન કોરોના રોગચાળાને ધ્યાનમાં JEE એડવાન્સ પરીક્ષા આપનારા પરીક્ષાર્થીઓને મદદ કરવાના હેતુથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) પરીક્ષાર્થીઓને અને તેમનાં માતાપિતાને સાથે કેમ્પસમાં રાતવાસો કરવા માટે ઓફર કરી રહી છે.

JEE એડવાન્સના ઉમેદવાર –જેના ગાંધીનગર-અમદાવાદ ક્ષેત્રોમાં કેન્દ્ર છે અને તેઓ IITGN કેમ્પસમાં રાતવાસો કરવા ઇચ્છે તો તેઓ https://www.iitgn.ac.in/jeeaes પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નોંધણી પામેલા પરીક્ષાર્થીઓને  સંસ્થામાંથી સંદેશવ્યવહાર અને કોર્સ વિશેની માહિતી મળી શકશે.

આ ખાસ વ્યવસ્થા વિશે વાત કરતાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર સુધીર જૈને કહ્યું હતું કે આ સમય આ ઉમેદવારો અને પરીક્ષાર્થી માટે પડકારજનક છે, જેમના JEE એડવાન્સના પરીક્ષા કેન્દ્રો તેમના હાલના નિવાસસ્થાનેથી બહુ દૂર છે અને તેમને સુરક્ષિત સ્થળે રાતવાસો શોધવાની જરૂર છે, તેમના પ્રતિ IIGN સંવેદનશીલ બનવા સાથે આ સુવિધા આપશે. આવા પરીક્ષાર્થીઓ અને તેમનાં માતાપિતાને રાહત રૂપે રાતવાસાની સુવિધા આપવા માટે સંસ્થાનો આ વિનમ્ર પ્રયાસ છે.