સુરતમાં ગોઝારો અકસ્માત, 3ના મોત 4 ઘાયલ

રાજ્યમાં દિવસેને દિવસ અકસ્માતની ઘટનામાં વધારો નોંધાય રહ્યો છે. આજે ફરી એક વાક સુરતામાં એક ગોઝારો અકસ્માત થયો છે. વરાછા વિસ્તારમાં શુક્રવારે (સાતમી જૂન) રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે.

 

મળતી માહિતી અનુસાર હિના મિયાણી પીયર વેકેશન કરવા માટે આવી. ત્યારે તેઓ પોતાના ભાઈ બહેન અને બાળકો સહિત કુલ 7 લોકો વારાછા પાસેના રિંગ રોડ પર લટાર મારવા નિકળ્યા હતા. જ્યારે 11થી 12 વાગ્યા આસપાસ આ દરમિયાન હોન્ડ સિટી કારનો ચાલક પૂરપાટ ઝડપે આવ્યો અને બેઠેલા પરિવાર પર કાર ફેરવી દીધી હતી. બેસેલા સાત લોકોને કારે અડફેટે લેતા બેથી વધુ લોકોના માથા ફાટી ગયા હતા. જેમાં એક 6 વર્ષીય બાળકનું અને એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતમાં એક ગર્ભવતી મહિલા અને અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. અહીં 11 કલાકની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અકસ્માત થતાની સાથે પોલીસ ઘટાના સ્થળે પહોંચી હતી. હાલ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાતે જ તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે. પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.