સુનિતા વિલિયમ્સની વાપસી પર ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ

મહેસાણા: ગુજરાતીમૂળની દિકરી 8 દિવસના મિશન પર સ્પેશમાં ગયા હતા. જે લંબાઈને 9 મહિનાનું બની ગયું અને અંતે આજે વહેલી સવાર તેઓ સુખરૂપ ધરતી પર ફર્યા છે. ત્યારે સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે વિલિયમ્સના ફોટા સાથે શોભાયાત્રા નીકળશે અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 મહિના પહેલા પ્રજવલિત કરાયેલ અખંડ દીવા સાથે શોભાયાત્રા નીકળશે તો, ગ્રામજનોએ સહી સલામત પરત આવે તે માટે અખંડ દીવો કર્યો હતો, પ્રજવલિત કરાયેલ દીવો દોલા માતાજી મંદિરે રખાયો હતો.

સુનિતા વિલિયમન્સના ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગ્રામજનોએ મોડી રાત્રે આતશબાજી કરી હતી અને એકબીજાને મીઠુ મો પણ કરાવ્યુ હતુ. ધરતી પર સુનિતા વિલિયમન્સનું લેન્ડિગ બરાબર રીતે થઈ જાય તે માટે આખી રાત ગામ વાસીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. સહીસલામત લેન્ડિંગ બાદ ગ્રામજનો ઢોલના તાલે ઝુમી ઉઠ્યા હતા. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમના પિતરાઈ ભાઈએ મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી. અમદાવાદમાં પરિવાર-સોસાયટીના સભ્યોએ મોડી રાત્રે ઉજવણી કરી છે.

ક્રૂ-9 મિશનમાં કુલ 4 અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફર્યા છે. સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મોર ઉપરાંત નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ ક્રૂ-9નો ભાગ હતા. સુનિતા અને બચના સ્ટારલાઇનર અવકાશયાનમાં સમસ્યાઓના કારણે નાસાએ આ બંને અવકાશયાત્રીઓને ક્રૂ-9નો ભાગ બનાવ્યા.