સાઇકલિંગ ગ્રુપ દ્વારા સાઇકલ પર દાંડી યાત્રા

અમદાવાદઃ શહેરના ગાંધી આશ્રમથી દાંડી સુધી 29મી સપ્ટેમ્બરની વહેલી સવારે 32 સાઇકલિસ્ટનું એક ગ્રુપ ગાંધી જયંતી પૂર્વે રવાના થયું હતું. ગાંધીજીની 151મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે સિમ્બાલિયન સાઇકલિંગ ગ્રુપ દ્વારા સાઇકલ પર દાંડી યાત્રા કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં જોડાવા માટે 600 સાઇકલિસ્ટની એન્ટ્રી આવી હતી,  જેમાંથી 32 સાઇકલિસ્ટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમથી દાંડી સુધીની આ સાઇકલ યાત્રામાં સિમ્બાલિયન સાઇકલિંગ ગ્રુપ , દાંડી પથ, ગુજરાત ટુરિઝમ જેવી સંસ્થાઓએ જોડાઇ સાઇકલિંગ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું.

આજના યુગમાં પાર્કિંગથી માંડી પર્યાવરણ સુધી તમામ બાબતોમાં સાઇકલરૂપી સાધન ખૂબ જ ઉપયોગી  સાબિત થાય એમ છે, આયોજકો એ આ વિચાર સાથે દાંડી યાત્રા શરૂ કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)