કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ: સરકારના નિર્ણયો

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 13, વડોદરામાં 6, સુરતમાં 6, ગાંધીનગરમાં 6,રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ આમ છેલ્લા 6 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 33એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે.

અત્યાર સુધીમાં 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ 11 હજાર 108 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે 1583 આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને 609 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આજે 52 સેમ્પલ આવ્યાં છે. જેનો ટેસ્ટ બીજે મેડીકલ ખાતે કરવામાં આવશે. આગામી 31 માર્ચ મધ્ય રાત્રી સુધી સમગ્ર રાજયમાં લોકડાઉન જાહે૨ ક૨વાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, વાણિજીક સંસ્થાઓ, ઓફિસો, ફેક્ટરી, નાણાં ઉધોગો, વર્કશોપ, ગોડાઉન આ સમયગાળા દ૨મ્યાન સદંતર બંધ રહેશે.

માત્ર આ સેવાઓ જ રહેશે ચાલુ

  • જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ
  • દવાઓ, દવા ઉત્પાદક કંપનીઓ, રીસર્ચ સેન્ટર
  • ઈન્ટ૨નેટ, મોબાઈલ સેવાઓ
  • પાણી, વીજળી વગેરે સેવાઓ
  • મીડીયા, વિમા કંપની, બેન્ક, પોસ્ટ, સિકયુરીટી સેવા
  • પેટ્રોલ, ડીઝલ વગેરેની સેવાઓ

તમામ પ્રકા૨ના પેસેન્જર વાહનોને રાજયની અંદ૨ તેમજ રાજયમાંથી અન્ય રાજયમાં આવન – જાવન ઉપર પ્રતિબંધ ક૨વામાં આવ્યો છે. રાજયમાં કોરોના વાયરસ રોગની પરિસ્થિતીને પહોંચી વળવા જરૂરી તમામ દવાઓ સાધનસામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ / સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી રાજય સરકારે પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના અધ્યક્ષ સ્થાને ખાસ ખરીદ સમિતિની ૨ચના કરી છે.

કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં લીધેલ નિર્ણયો

રાજ્યમાં સરકાર દ્વારા કુલ ૧૩૪ ક્વોરનટાઈન ફેસિલીટી ઉભી કરવામાં આવી છે. જેમાં ૬૭૧૮ બેડની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં કુલ ૧૧૧0૮ જેટલા વ્યક્તિઓ ને ૧૪ દિવસના કોરોન્ટાઈન ઓઝર્વેશન હેઠળ છે. જે પૈકી ૨૨૪ વ્યકિતઓ સ૨કારી ફેસિલીટીમાં અને ૧0૫૦ વ્યકિતઓ હોમ કોરોન્ટાઈન તથા ૩૪ વ્યકિતઓ પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોન્ટાઈન ઓઝર્વેશન હેઠળ છે.

રાજ્યમાં કેટલાક મુસાફરોએ કોરોન્ટાઈન માટે અનિચ્છા દર્શાવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ૨૧ જેટલી એફ.આઈ.આ૨. નોંધવામાં આવી છે.

રાજયમાં તમામ વ્યક્તિઓનું સર્વે હાથ ધરવામાં આવી ૨હયો છે જેમાં આરોગ્ય વિભાગ ઉપરાંત અન્ય વિભાગનો પણ સહયોગ લેવામાં આવી ૨હયો છે. આ સમગ્ર માહિતી Techo એપ દ્વારા IDSP ઉપર મેળવવામાં આવી રહી છે. જેના દ્વારા અન્ય કોઈ વ્યકિત જો શંકાસ્પદ જણાય તો તેમને અને તેઓના સંપર્કમાં આવેલ વ્યકિતઓને નિરીક્ષણ હેઠળ લેવામાં આવી રહયા છે.

રાજ્ય સ૨કા૨ની હેલ્પલાઈન નંબ૨ – ૧૦૪ ઉપ૨ અત્યા૨ સુધી ૧૦૩૩૬ મદદ માટે કોલ આવેલ છે જયારે હેલ્પલાઈન ઉપ૨ વ્યક્તિઓ પોતાના લક્ષણોની વિગતો આપે તો આવા વ્યકિતઓને પણ નિરીક્ષણ હેઠળ લઈ જરૂરી સા૨વા૨ પુરી પાડવામાં આવી રહી છે. જે પૈકી ૨૩૫ જેટલા વ્યકિતઓને આ રીતે સા૨વા૨ પુરી પાડવામાં આવી છે.
રાજ્યના ૪ મોટા શહેરોમાં કોરોના વાયરસ વાળા દર્દીઓની સા૨વા૨ માટે ખાસ હોસ્પિટલો તૈયાર કરવામાં આવના૨ છે. જેમાં અમદાવાદ-૧૨00 બેડ, સુ૨ત- ૫00 બેડ, વડોદરા-૨૫૦ બેડ અને રાજકોટ-૨૫૦ બેડનો સમાવેશ થાય છે.

વેન્ટીલેટર સહિતના અધતન સાધનોની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૧૫૮૩ આઈસોલેશન બેડ સ૨કારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને ૩૫ બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ છે. તેમજ આ ઉપરાંત વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા ચાલી રહી છે.

રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે સરકારી હોરિપટલો ખાતે તમામ વિભાગોમાં થઈને ૬૦૯ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૫00 જેટલા વેન્ટીલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ – ૧૯ ) ના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઈપણ જરૂરી વસ્તુઓ, સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી રાજ્ય સરકારે ખાસ ખરીદી સમિતિ બનાવી છે.

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ દવાખાના, કોર્પોરેટ હોસ્પિટલો, ટ્રસ્ટ રાંચલિત હોસ્પિટલો, ખાનગી મેડિકલ પ્રેક્ટિસ ક૨તા તમામ મેડિકલ પ્રેક્ટીશનર્સ, હોમિયોપેથીક, આયુર્વેદિક દવાખાના, હોસ્પિટલો તેમજ ખાનગી લેબોરેટરીમાં કોરોના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી જણાય તો રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ જિલ્લા ક્લેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે તે મ્યુનિસિપલ કમિશ્નરને અથવા તેના દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિ કે કચેરીને તેની તાત્કાલિક જાણ ક૨વા અંગેનું રાજ્ય સ૨કારે જાહે૨નામું બહા૨ પાડેલ છે.

મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતી તેમજ ત્યાં જતી તમામ બસોને ૩૧ / 0૩ / ૨૦૨૦ સુધી મોકુફ રાખેલ છે.
ભારત સરકાર તરફથી મળેલ સુચનાઓ ધ્યાને લઈ તકેદારીના પગલાં રૂપે રાજયમાં કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ/સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિના૨ વગેરે ૩૧/ 03 / 2020 સુધી મોકુફ ક૨વામાં આવેલ છે.

રાજ્યના તમામ જિમ્નેશિયમ, વોટ૨પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટપાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ કલબ તાત્કાલિક અસ૨થી સંપૂર્ણપણે ૩૧ / 0૩ / ૨૦૨૦ સુધી બંધ કરાવેલ છે.

રાજ્યના તમામ થીયેટરો , નાટ્યગૃહ, સ્નાનાગાર સંપુર્ણપણે ૨૯ / ૦3 / ૨૦ સુધી બંધ કરાવેલ છે. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો, પોલિટેનિકો તથા આઈ. ટી. આઈમાં શૈક્ષણિક કાર્ય ૨૯ / 03 / ૨૦૨૦ સુધી બંધ કરાવેલ છે.
રાજ્યની અમદાવાદ, સુ૨ત, વડોદરા, ભાવનગ૨ તથા જામનગ૨ ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિડ-૧૯ અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

ડ્રગ્સ એન્ડ લોજીસ્ટીક
ભા૨ત સ૨કાર દ્વારા માસ્ક અને સેનેટાઈઝ૨ને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. હાલ રાજયમાં એન-૫ માસ્કનો ૪૫,000 થી વધુ, પીપીઈ કીટનો ૨૯,૫00 થી વધુ અને ટ્રીપલ લેયર માસ્કનો ૬00 000 થી વધુ જથ્થો ઉપલબ્ધ છે. વધુમાં રાજ્ય સ૨કા૨ દ્વારા વધારાનો જથ્થો ઉપલબ્ધ કરાવવા પ્રક્રિયા હાથ ધરાયેલ છે.

જાહેર જનતાને અપીલ: અફવાઓથી ભ૨માશો નહિ
સામાન્ય નાગરિકોએ કોઈ પણ જાતના આધાર વગ૨ના સમાચાર ૫૨ કોઈપણ જાતના પુરાવા વગર વિશ્વાસ ક૨વો નહીં. સૌપ્રથમ સમાચા૨ની વિગતોને આધા૨ભૂત પરિબળો સાથે ચકાસી લેવા અપીલ કરવામાં આવે છે. આ રોગ અંગેની કોઈ પણ વિગત કે માહિતી મળે તો સરકારની વેબસાઈટ ઉપર ચકાસી લેવા વિનંતી છે. સોશિયલ મિડિયા પ૨ વાઈ૨લ થતા વિવિધ મેસેજ, વિડીયો વગેરે આધારભૂત ન જણાય તો તેને અન્ય વ્યકિતઓને ફોરવર્ડ ન કરીને જવાબદાર નાગરીક બનીએ.

માસ્ક પહે૨વાથી આ રોગ સામે સંપૂર્ણ પણે ૨ક્ષણ મળે છે એ વાત ભ્રામક છે આથી તમામ નાગરિકોએ મારક પહેરવો જરૂરી નથી. જે વ્યકિતઓને રોગના લક્ષણો હોય કે જે વ્યકિતઓ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં હોય તેવી વ્યકિતઓએ જ માસ્ક પહેરવો જોઈએ.

શું ક૨વું ?

  • ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલ ના હોય તો સાડીના છેડામાં કે શર્ટની બાયમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઈ નાંખવું.
  • વારંવાર સાબુથી હાથ ધોવા.
  • હસ્તધૂનનના બદલે નમ૨કા૨થી અભિવાદન ક૨વું.
  • જો આપને કોઈ બિમારી જણાય તો તાત્કાલિક સા૨વા૨ લેવી . 

શું ન ક૨વું ?

  • ભીડભાડ વાળી જગ્યાએ ન જવું.
  • ગમે ત્યાં થૂંકવું નહિ.
  • ખાંસી કે છીંક ખુલ્લી હથેળીઓમાં ખાવી નહીં પરંતુ મો અને નાક રૂમાલ વડે ઢાંકવું.
  • રોગ અંગે કોઈપણ પ્રકા૨ની માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબ૨ ૧૦૪ તેમજ ટવીટર હેન્ડલ @ GujHFWDeptઉપ૨ સંપર્ક કરવો.