કોરોનાની મહામારી વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી

અમદાવાદઃ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આઝાદીના પર્વ  નિમિત્તે ધ્વજ વંદનના સિવાયના કાર્યક્રમો મર્યાદિત કરી દીધા હતા. એક તરફ કોરોના કાળ બીજી તરફ વરસાદી વાતાવરણમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સંસ્થાઓએ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.

અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વે પેન , કિ- ચેઇન, ગાડી, કપડાં પર પ્રદર્શિત કરી શકાય એવા નાના-મોટા ધ્વજનું વેચાણ થઇ રહ્યું છે.

શહેરની કેટલીક શાળાઓએ આ કપરા કાળમાં વિદ્યાર્થીઓ વગર સંચાલકો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં સાદગીપૂર્વક ધ્વજ વંદનનો કાર્યક્રમ કર્યો હતો.

(પ્રજ્ઞેશ વ્યાસ)