વિશ્વ ઉમિયાધામ મંદિરમાં અંખડ રામધૂનનું આયોજન

અમદાવાદઃ 500 વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રીરામ ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજી રહ્યા હોય ત્યારે ગુજરાત અને ભારત વર્ષ સહિત દુનિયાના કરોડો હિંદુ માટે એ ધન્ય ઘડી આવી ગઈ છે, જ્યારે તેમાં રામલલ્લા મંદિરમાં પ્રસ્થાપિત થાય.

જે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨-૦૧-૨૦૨૪એ ભવ્યાતિભવ્ય રીતે દેશમાં ઊજવાઈ રહ્યો છે. ત્યારે આધ્યામિક ચેતના સાથે સામાજિક અને રાષ્ટ્રચેતનાની ભાવનાને ઉજાગર કરવા વિશ્વ ઉમિયાધામ અમદાવાદ દ્વારા અખંડ રામધૂન અને રામ ભગવાનના ભજનનું આયોજન કર્યું છે.

દરેક ભજન મંડળો, ટ્રસ્ટી પરિવાર, સંગઠનના ભાઈઓ અને બહેનો અને ધર્મપ્રેમી સર્વે ભાવિક-ભક્તોને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. અખંડ રામધૂન 22 જાન્યુઆરી ૨૦૨૪ને સોમવારે સવારે ૯-૦૦થી સાંજે ૬-૦૦ કલાક વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં યોજાશે. એ સાથોસાથ રામભક્તો માટે બપોરે અને સાંજે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.