નવરાત્રિને લઈ અમદાવાદ પોલીસ તંત્ર સજ્જ, 14000 જવાન રહેશે સ્ટેન્ડ બાય

અમદાવાદ: નવરાત્રિના આડે બે દિવસ છે. ત્યારે શહેરમાં નવરાત્રિને લઈ ખૈલેયા સાથે તંત્ર પણ સજ્જ છે. ત્યારે તહેવાર સમયે પોલીસી વ્યવસ્થા કેવી છે. એ મુદ્દે DCP કોમલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી હોવાની વાત કરવામાં આવી છે. નોન કોમર્શિયલ માટે સ્થાનિક કચેરીએ પરવાનગી મળે છે. આ ઉપરાંત તહેવારને લઈ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. તથા શી ટીમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન હાજર રહેશે.

નવરાત્રિ મુદ્દે DCPએ નિવેદન આપતા કહ્યું કે ધ્વનિ પ્રદૂષણ ન થાય તે મુજબની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે. તેમજ વ્યસન કરી કોઈ ન આવે તે તકેદારી રાખવા સૂચના અપાઈ છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચન કરવામાં આવ્યા છે. આયોજકો પાલન નહીં કરે તો આયોજન રદ્દ કરાશે. તેમજ 14000 પોલીસ જવાન નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે. તેમજ cctv, એન્ટ્રી અને બહાર નિકળવાનો ગેટ અલગ, મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વ્હિકલની વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચના આપવામાં આવી છે. તેમજ એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા આયોજકોને રાખવા સૂચના છે. ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરવા અને પગલાં લેવાશે. તેમાં 14000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે. તથા ટ્રાફિક વ્યવસ્થા ન બગડે તે માટે પણ પોલીસ ખડેપગે રહેશે.

આ ઉપરાંત અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરી ખેલૈયાઓને સૂચના પણ આપી છે. જ્યાં કોઈ અજાણી વ્યક્તી આપણો ફોટો કે વિડીયો ના બનાવે તેનું ધ્યાન રાખવા સાથે, અજાણી વ્યક્તી સાથે ગરબા ન રમવા અને પોતાના સાચા લોકેશનની માહિતી પરિવાર જનો સાથે શેર કરી રાખાવા સૂચન કરવામાં આવ્યા હતા.