સુરત મેટ્રોમાં બીજી વખત દુર્ઘટના, કાટમાળ હટાવવાનું પ્લાનિંગ શરૂ

સુરત મેટ્રોની કામગીરી ફરી એક વખત ચર્ચાનો મુદ્દો બની છે. પાછલ એક મહિનામાં બીજી વખત સુરતમાં ચાલી રહેલ મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના બની છે. પહેલી ઘટના નો કાટમાળ દુર થાય તે પહેલા ગઈકાલે બીજી દુર્ઘટના બની હતી. નાના વરાછાની એક સોસાયટી ના મકાન પર 135 ટન વધજન ધરાવતું ગર્બોડર બોક્સ અને ક્રેઇન પડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા બાદ લગભગ 20 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં હજી પણ કાટમાળ હટાવવામાં આવ્યો નથી.

આ ઘટના બાદ સૂત્રો હવાલે મળતી માહિતી મુજબ હાલ મેટ્રોની ક્રેન અને લોન્ચરનું વજન વધુ હોવાથી તેને હટવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને સંભવતઃ આજે મોડી રાત્રે કામગીરી હાથ ધરવામાં આવશે.  જોકે, આ મોટી દુર્ઘટના અને ગંભીર બેદરકારી છે તેમ છતાં હજી જવાબદારો સામે પોલીસ ફરિયાદ ન થતાં લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. રતના સરથાણા થી કાપોદ્રા મેટ્રો રૂટ પર નાના વરાછા, ચોપાટી સામે ગંગા જમના સોસાયટી નજીક આવેલા યમુના નગર વિસ્તારમાં પીલ્લર નંબર પી 110 અને 11 વચ્ચે  135 ટનનો ગર્ડર બોક્સ લોન્ચ કરવાની કામગીરી દરમિયાન ગઈકાલે સાંજે 5-10 વાગ્યે અચાનક ક્રેઈન તુટી પડી હતી અને ક્રેઈન અને લોન્ચર એક મકાન પર પડી ગયું હતું. ધડાકાભેર લોન્ચર મકાન પર પડતાં ભાગદોડ મચી ગઈ હતી.