રથયાત્રાના રૂટ પર ABVPનું સફાઈ અભિયાન..

ગુજરાતના અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળતા હોય છે. આ વર્ષે આ રથયાત્રા 7 જુલાન રોજ યોજાઈ હતી. જ્યારે આ રથયાત્રા જગન્નાથ પુર બાદની સૌથી રથયાત્રા ગણવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. પરંતુ આ રથયાત્રાના રૂટ પર યાત્રા બાદ ભારે માત્રામાં કચરો જોવા મળે છે. દર વર્ષની જેમ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રાના રુટ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમ જેમ રથયાત્રાના રૂટ પરથી રથો પસાર થતા હતા, તેમ તેમ તે રૂટ પર ABVPના કાર્યકરો સ્વેચ્છાએ સાફ-સફાઈ કરી રહ્યાં હતા.

દર અષાઢી બીજના રથયાત્રાનું આયોજન થતું હોય છે, અને દર વર્ષે આ યાત્રામાં લાખો લોક ઉમટે ત્યારે પાછલા પાંચ વર્ષથી ABVP ના કાર્યકરો સ્વેચ્છાયે ભગવાન જગન્નાથજી પસાર થયેલા રસ્થા પર વિકલાયેલો કચરો સાફ કરે છે. આ વર્ષે પણ રથયાત્રા પસાર થાય તે રૂટ ઉપર જે પણ કચરો થાય તે કચરો વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા સાફ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019, 2022માં સાફ-સફાઈ અભિયાન ચાલ્યું હતું. તો 2020 અને 2021માં કોરોનાના કારણે રથયાત્રા નીકળી શકી ન હતી. જેથી તે દરમિયાન સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે આ રથાયાત્ર બાદ ABVP ના લગભગ 200 કાર્યકરો સફાય કાર્ય માટે જોડાયા હતા.