રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 69 પર પહોંચી

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 69 પર પહોંચી છે. આજે કુલ 6 કેસ નોંધાયા છે જેમાંથી એકલા ભાવનગરમાંથી જ નવા 5 કેસ નોંધાયા હતા અને તેમાંથી એકનું મોત થયુ છે. જ્યારે અમદાવાદમાં એક નવો કેસ નોંધાયો છે. 69માંથી 6નું મોત થયુ છે. બચેલા 63 લોકોમાંથી 2 જણા સાજા થયા છે.

દેશભરમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકાડાઉનની અસર જોવા મળી છે. જોકે ઘણા ભાગો હજી પણ એવા છે જ્યાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે મીડિયાને જણાવ્યું છે કે 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોના પોઝિટીવ દર્દીના કુલ 69 કેસો નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 6 લોકોના કોરોનાથી દર્દનાક મોત નીપજી ચૂક્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ દરરોજની જેમ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં ગઇકાલથી અત્યાર સુધીમાં નવા છ કેસ નોંધાયા છે. જેમાંથી 5 કેસ ભાવનગરમાં અને 1 કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદના 36 વર્ષીય પુરુષ અમેરિકાથી આવ્યા હતા તેમનો કેસ પોઝિટિવ આવ્યો છે.

આજે ભાવનગરમાં 5 પોઝિટિવ કેસ પુરુષના અને તેઓ સ્થાનિક સંક્રમણમાં આવ્યા છે. ગુજરાતમાં 69 પોઝિટિવ કેસ છે. જેમાંથી 6 લોકોના મોત થયા છે, 63 લોકો હોસ્પિટલમાં હતા તેમાં બે દર્દી સાજા થઈ ગયા છે. બે લોકો હજી વેન્ટિલેટર પર છે. જ્યારે 59 સ્ટેબલ છે. ભાવનગરમાં જે મહિલાનું મોત નીપજ્યું છે તેમને મગજની બીમારી હતી. 69માં વિદેશ ટ્રાવેલ 32 લોકો, 4 આંતરરાજ્યમાંથી આવ્યા હતા. 33 લોકો લોકલ સંક્રમણના છે. પોઝિટિવ કેસના 3થી 5 કિમિ તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યના 744 લોકો સરકારી અને 18 હજારથી વધુ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. આજે નોંધાયેલા તમામ કેસો લોકલ ટ્રાન્સમિશનનો હોવાનું સામે આવ્યું છે. જેથી એવું કહી શકાય કે ગુજરાતમાં હવે લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટીવ દર્દીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના 59 દર્દીની તબિયત સ્થિર છે અને 2 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે બે લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.